ઓનલાઇન ભણતર: કોરોનાના આ કપરા કાળમા બાળકો ની સુખી અને આનંદમય જીંદગીમાં જાણે પુર આવી ગયું છે આજે બાળકોની જિંદગી બીલકુલ બદલાઇ ગઇ છે.કોરોના ની સામે લડતા લડતા લગભગ આજે બે વર્ષ જેવું થઈ ગયું છે આ સમય દરમ્યાન આપણે હંમેશા એ લોકોની વાત કરીએ છીએ જે લોકો વાયરસથી સંક્રમિત થયા છે એવા લોકો માટે જે ઘરમાં ક્વોરૅન્ટીન હતા અને ડિપ્રેશન તેમજ અસ્વસ્થતા ના શિકાર બન્યા હતા આ 2 વર્ષ માં ખેડૂતો મજૂરો માટે પણ વાત થઈ ઉદ્યોગ ધંધાની પણ વાત કરવામાં આવીતેમજ અર્થતંત્રમાં થયેલા નુકસાનની પણ વાત કરવામાં આવી પરંતુ આજ સુધી ક્યારેય બાળકો ઉપર ચર્ચા કરવામાં નથી આવી.
Table of Contents
તમે વિચાર કરો કોરોના કાળ પહેલા બાળકો નું જીવન કેવું હતું

- સવારે ઉઠીને સ્કૂલ જવાનું
- સ્કૂલમાં પોતાના મિત્રોને મળવાનું સાથે ભણવાનું
- ઘરે પાછા આવીને આરામ કરવાનું
- એમાંય પાછું ઘરે આવ્યા પછી ટ્યુશન જવાનું
- સ્કૂલ નું હોમવર્ક – ટ્યુશન નું હોમવર્ક કરવાનું
- પાછું રમવા જવાનો ટાઈમ તો નિશ્ચિત હોય
- પાર્કમાં સોસાયટીના ગાર્ડનમાં છોકરાઓની રોનક હતી
કોરોનકાળ માં જીંદગી ઘરમાં ને ઘરમાં બંધ થઈ ગઈ

બાળકોના આ ખુશખુશાલ અને મસ્તીથી ફુલ એવું તેમનું જીવન જાણે ઘરમાં લોક થઈ ગયું છે ઘરના મોટા વ્યક્તિઓ તો ઘરની બહાર પણ જઈ શકે છે પણ બાળકો તો લગભગ બે વર્ષથી જાણે એમને કોઈ સજા આપવામાં આવી હોય તેમ ઘરમાં ને ઘરમાં લોક કરી દેવાયા છે આજે હું લખી રહ્યો છું કે આ ભયાનક કોરોના કાળ મા બાળકોના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું બે વર્ષ પહેલાં બાળકો કેવી રીતે પોતાની સ્કુલ બેગ હવા ઉપર લઈને નીકળતા પણ આજે આ ખભા ઉપર નો ભાર બાળકોના દિમાગ ઉપર પહોંચી ગયો છે
ઓનલાઇન ભણતર વિશે ફરિયાદ
હમણાં થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયેલો જુમો એક છ વર્ષની જમ્મુ કાશ્મીર ની બાળકી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઓનલાઇન ભણતર અંગેની ફરિયાદ કરે છે તેણે કહ્યું છે કે નાના બાળકો ઉપર ઓનલાઇન ભણતરનો આ ભાર યોગ્ય નથી આ બાળકી ની વાત માં ઘણા બધા નિર્દોષ અને ગંભીર પ્રશ્નો પણ છુપાયેલા હતા અને તેથી જ ના વીડિયો ખૂબ વાયરલ થયેલો આ બાળકી નો વાયરલ વીડિયો જોઈ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ તરત સંજ્ઞાન લઈ ઓનલાઇન ભણતરની નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી તેમાં પહેલા ધોરણથી આઠમા ધોરણ સુધી ના ઓનલાઇન ભણતર નો ટાઈમ ખાલી બે કલાક અને નવમા ધોરણથી બારમા ધોરણ માટે ત્રણ કલાક અને ખાસ કે વર્ગ પાંચ સુધી કોઈભી બાળકને ઊંઘ નહીં આપવામાં આવે.
આ વીડિયોનું નિચોડ એવું નીકળે કે બાળકો પર ઓનલાઈન ભણતરનો ભાર બહુ જ વધી ગયો છે
આપણા દેશમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળકો ની સંખ્યા 36 કરોડ છે
આ આંકડો 2011 ની જનસંખ્યા ગણતરીઓ નો છે એટલે આજે 10 વર્ષ પછી સંખ્યામાં બહુ વધારો થયો હશે
આપણા દેશમાં અત્યારે 25 કરોડ બાળકો સ્કૂલે જાય છે જે આ કોરોના કાળમાં ઘરમાં બંધ છે
આપણા દેશમાં 15 લાખ સરકારી તેમજ ખાનગી સ્કૂલો છે એમાં ૮૫ લાખ શિક્ષકો ભણાવે છે પરંતુ આ કોરોના કાળમાં આ સિસ્ટમ પુરી બદલાઈ ગઈ છે
કોરોના ઇન્ફેક્શનના ડરથી બાળકો સ્કૂલે જતા નથી તેથી સ્કૂલો પણ બંધ છે અને સ્કૂલો બંધ છે એટલે શિક્ષકો પણ નવી સિસ્ટમ મુજબ ઓનલાઇન ભણાવી રહ્યા છે કોરોનાવાયરસ આવ્યો તે પહેલા ખૂબ સર્વે અને સ્ટડી આવતી કે તમારા બાળકોને મોબાઇલ ફોન કમ્પ્યુટર અને લેપટોપ થી દૂર રાખો પરંતુ આજે કોઈ નથી કહી રહ્યું. જે સ્કૂલો પેરેન્ટ્સ મિટિંગમાં મોટા મોટા લેક્ચર આપતી કે માતા-પિતાએ બાળકોને મોબાઈલ ના આપવો. આજે એકલો મો કહેવાય છે કે તમારી જોડે મોબાઈલ કમ્પ્યુટર અથવા લેપટોપ હોવું જોઈએ તોજ તમને શિક્ષા પ્રાપ્ત થશે આના વગર શિક્ષણ મળશે નહીં
તમે વિચાર કરો કે આ કોરોના કાળ માં શિક્ષણ જગતની પદ્ધતિ જ બદલાઈ ગઈ છે
પહેલા એવું માનવામાં આવતું કે જો સ્કૂલો નહીં હોય તો બાળકો શિક્ષા વગર રહી જશે પણ આજે જો તમારી જોડે મોબાઈલ ફોન નહીં હોય તો બાળક અભણ રહી જશે
હવે સવાલ એ છે કે ઓનલાઇન ભણતર કેટલી અસરકારક છે આપણે એને પાંચ પોઇન્ટ માં સમજવાની કોશિશ કરીએ
સૌથી મોટું નુકસાન
કોરોના કાળ સૌથી મોટો ગેરલાભ ઓનલાઇન ભણતર માં એ છે કે બાળકોનું social interaction નહિવત બરાબર થઈ ગયું છે ડોક્ટરોનું કહેવું છે કે બાળકના વિકાસમાં સોશિયલ ઇન્ટરેક્શન ની બહુ વિશાળ ભૂમિકા હોય છે બાળકો સ્કૂલે જતા તો તેમના મિત્રોને મળતા તેમના શિક્ષકોને મળતા કંઈક નવું શીખતા કોઈને મદદ કેવી રીતે કરવી પોતાનું વર્તણૂક અને પ્રકૃતિની યોગ્યતા તેમ જ આચરણ ની સમજ આવી અને ડિસિપ્લીન( શિષ્ટતા) માં રહેવાનું શીખતા.
આપણે જોઈએ છે કે બાળક જ્યારે સ્કૂલ જાય છે ત્યારે એક નિશ્ચિત સમયે સ્કૂલ પહોંચવાનું હોય છે ત્યારબાદ અલગ અલગ ગ્લાસનો અલગ-અલગ ટાઈમિંગ, નાસ્તા માટેની બ્રેક, યુનિફોર્મ, હેર કટ જેવી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવતું અને શિક્ષક ભી આ બધી વસ્તુ નું મહત્વ સમજાવતા, મારો કહેવાનો મતલબ એમ છે કે સ્કૂલમાં બાળકો ખાલી ભણતર નહીં પણ સાથે ગણતર ભી શીખે છે, જીવન જીવવાનું શિક્ષણ પણ સ્કૂલમાંથી જ શીખતા હોય છે
બાળકો સોશિયલ ઇન્ટરેક્શન થી દૂર થયા

આપણે હંમેશા એવું કહીએ છીએ કે જેવી સ્કૂલ હશે તેવું બાળકનું જ્ઞાન હશે પણ આજે તો સોશિયલ ઇન્ટરેક્શન જ નથી તો પછી ? આ આપનું પહેલો પોઇન્ટ છે
પોઇન્ટ નંબર 2: ઓનલાઇન ભણતર માં બીજું સૌથી મોટું નુકસાન એ છે કે બાળકોને એક ક્લાસમાં સીમિત વસ્તુ ઓ શીખવા કે જાણવા મળે છે,ઘણીવાર સિલેબસ પૂરો કરવાના ચક્કરમાં બાળકોને એક ક્લાસમાં લાંબા સમય સુધી બેસી રહેવું પડે છેબાળકો માતા-પિતા ને ઘણી વાર કમ્પ્લેન કરે છે કે એમને કંઈ સમજાતું નથી લાંબા સમય સુધી ચાલતા ક્લાસને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થાય છે
અમેરિકાની સંસ્થા CRP ની કરેલી સ્ટડી મુજબ જે બાળક લગાતાર લેપટોપ મોબાઈલ કે કોમ્પ્યુટરની સામે બેસી રહે છે તો તે બાળકની આંખો અને દિમાગ ના વિકાસ ઉપર બહુ મોટી અસર પડે છે WHO નું તો કહેવું છે કે બાળકોને દર 20 મિનિટ પછી બ્રેક આપવી જોઈએ પરંતુ સવાલ તો એ છે કે આ સંભવ છે જરા વિચારો તમે એક કલાકનો ક્લાસ હોય એમાં 20 મિનિટ પછી બ્રેક સંભવ છે અને આના કારણે જ બાળકોના દિમાગ પર બહુ મોટી અસર થાય છે
એક અધ્યયનમાં એવું પણ સામે આવ્યું છે કે ઓનલાઇન ભણતરમાં મોબાઇલની નાની સ્ક્રીન પર જોવાથી બાળકોની આંખોમાં હું ખરાબ અસર થાય છે જેથી બાળકોની આંખો લાલ થવી કે પછી માથું દુખવું જેવી સમસ્યાઓ ઊભી થાય છે આપણા દેશમાં મુખ્યત્વે મોટાભાગના બાળકો મોબાઈલથી જ ઓનલાઇન ભણતા હોય છે કેમકે બધા માતા-પિતા એટલા સક્ષમ નથી હોતા કે તેમના બાળકો ને લેપટોપ કે કોમ્પ્યુટર અપાવી શકે ઘણાં માબાપ નો પોતાનો મોબાઈલ બાળકોને ક્લાસ માટે આપવાની મજબૂરીમાં હોય છે પરંતુ વિચારો આ મોબાઇલની નાની સ્કીન ઉપર આપણે દસ મિનિટ જોઈએ છીએ તો આપણને આંખ દુખવા લાગે છે તો બાળક તો પાંચ કલાક જેવું મોબાઇલ સ્ક્રીન ઉપર જોવે છે તો તેની આંખો અને દિમાગ ને કેટલું મોટું નુકસાન થતું હશે
પોઇન્ટ નંબર 3: મોબાઈલ ફોન નો યુઝ વધારે કરવાથી છોકરાઓનું સૂવાનું જાગવાનું પણ બદલાઈ ગયું છે બાળકો પોતાની નિંદ્રા પણ પૂરી કરી શકતા નથી આ પણ એક ગંભીર વિચાર કરવાવાળી સમસ્યા છે
પોઇન્ટ નંબર 4: ઓનલાઇન ભણતરમાં બાળકોનો ગામ સામે વાતચીત કરવા ની હિંમત પણ વિકસિતi થતી નથી અને બાળકો સામે સામે વાત કરવામાં શરમ આવે છે સામે સામે વાત કરતા ડરતા હોય છે તેમનામાં આત્મવિશ્વાસ ઉપર બહુ મોટો પડઘો પડે છે
પોઇન્ટ નંબર 5: ઓનલાઇન ભણતરમાં બાળકોને એકલા જ બેસવાનું હોય છે જ્યારે સ્કૂલમાં તે પોતાના મિત્રો સાથે બેસતા હોય છે એકલા બેસવાના કારણે એમને એકલતા મહેસૂસ થતી હોય છે અને આના કારણે તે ખૂબ મોટી હતાશા અનુભવતા હોય છે.
ઇન્ટરનેટ પર હોય છે હાનિકારક માહિતી
ઓનલાઇન ભણતરમાં સૌથી મોટું નુકસાન એ પણ છે કે મોબાઇલમાં ઇન્ટરનેટ પર ઘણી બધી ખરાબ જાણકારીઓ હોય છે જે ઘણીવાર તેની સામે આવી જતી હોય છે,અને ત્યારે તે ખોટી જાણકારી ના સંપર્કમાં આવી જાય છે, ઈન્ટરનેટ ઉપર અશ્લીલ ફોટો, ડ્રગ્સ ની માહિતી તેમજ હિંસક પ્રવૃત્તિઓ પણ હોય છે અને જો બાળકો આ બધું જોવે તો બાળકોએ ખોટા રસ્તે જઇ શકે છે એમના દિમાગ ઉપર બહુ બધા સવાલ ઉભા થાય છે અને તે કંઈ ખોટું કરી બેસે છે આવામાં આપણે બાળકોને ઇન્ટરનેટના ખતરાથી કેવી રીતે દૂર રાખી શકીએ
બાળકોના જીવન પર કોરોના કાળ ની અસર
અત્યાર સુધી આપણે વાત કરી ઓનલાઇન ભણતર ની અસર શું હતી પરંતુ હવે આપણે વાત કરી રહ્યા છીએ કે કોરોનાવાયરસ થી આપણા બાળકોના જીવનમાં કેવી અસર થઈ હવે આપણે એવી સમજવું જરૂરી છે કે પાછલા બે વર્ષમાં બાળકોને સૌથી વધારે પીડા થઈ છે બાળકો નથી બહાર જઈ શકતા કે નથી પોતાના મિત્રો સાથે રમી શકતા બાળકોને જાણે કે કોઈ કેદી હોય એમ ઘરમાં બંધ કરી દીધા છે બાળકોના ઘરમાં ને ઘરમાં રહેવાના કારણે બધીજ જિમ્મેદારી પોતાના માતા-પિતા ઉપર આવી જાય છે એમનું સારું કે ખોટું બધું જ માતા-પિતાને જોવાનું હોય છે પરંતુ આ કપરા કોરોના કાળમાં બધા જ બેબસ થઈ ગયા છીએ. હવે આપણે એ જાણીએ કે બાળકો કેવી રીતે પ્રભાવિત થયા છે
આ વાયરસના કારણે વિકાસશીલ દેશોમાં આશરે ૧૪ કરોડ બાળકો ગરીબી રેખાની નીચે છે
આ સિવાય પૂરી દુનિયામાં 15 કરોડ એવા બાળકો છે જેમને મૂળભૂત ચીજોથી પણ વંચિત છે જેમની શિક્ષણ, આરોગ્ય, પોષણ, ખોરાક અને શુદ્ધ પાણી પણ નથી મળતું
દુનિયાભરની સ્કૂલો બંધ થવાથી 160 કરોડ બાળકો ની અસર થઇ છે
અગત્યની વાત તો એ છે કે દુનિયામાં દર ત્રણ બાળકોએ એક બાળક એવું છે જે નબળી આર્થિક સ્થિતિને કારણે અથવા તો કોઈ અન્ય કારણોસર ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે
UNICEF ના કહેવા અનુસાર વિશ્વમાં આવા બાળકોની સંખ્યા 46.30 મિલિયન છે
2020 માં કુપોષણનો ભોગ બનેલા પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો ની સંખ્યા લગભગ ૬૦ થી વધીને ૭૦ લાખ થઈ ગઈ છે
કોરોનાના આ કપરા કાળ માં વિશ્વભરમાં 37 કરોડ બાળકો સ્કૂલો માં મળતા ખોરાકથી વંચિત રહી ગયા છે
આપણી સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન મળે છે એ તો તમે જાણો છો કોરોના આવ્યો એ પહેલા ૧૧.૫ કરોડ બાળકોને સ્કૂલમાં મધ્યાન ભોજન મળતું હતું પણ અત્યારે સ્કૂલો બંધ છે તો તેમાંથી પણ વંચિત છે
WHO તો કહે છે કે આ કોરોનાના લીધે 68 દેશોમાં એક વર્ષથી નાની ઉંમરના 8 કરોડ બાળકો ને જરૂરી દવાઓ પણ મળી શકતી નથી

બાળકો માનસિક બીમારીઓમાં ભરાઈ ગયા છે
કોરોના કાળ માં બાળકો ઉપર માનસિક બીમારીઓ જેવી કે ડિપ્રેશન અને ચિંતા(ANXIETY) ના શિકાર બન્યા છે AIIMS દિલ્હીની એક સ્ટડી થઈ જેમાં પરિણામો 79 % બાળકો પર કોરોનાના લીધી બહુ નકારાત્મક અસર થઈ છે
આ સ્ટડી 15 અધ્યયન ઉપર કરવામાં આવી હતી અને તેમાં 22હજાર 996 બાળકો નો સમાવેશ થયો હતો જેના પરિણામોમાં ખૂબ જ આઘાત જનક હતા અભ્યાસ મુજબ
કોરોના કાળ દરમિયાન 34.5 % બાળકોને ગભરાહટ અને એન્ઝાયટી(Anxiety) ના લક્ષણો જોવા મળ્યા
41.5 % બાળકોમાં ડીપ્રેશન જોવા મળ્યું
42.3% બાળકોમાં ચીડ- ચીડિયાપણું પહેલાં કરતાં વધુ
30.8% બાળકો નો વહેવાર પહેલા કરતા બદલાઈ ગયો આવા બાળકો બધા જ કામમાં આનાકાની કરતા થઈ ગયા
આમ જોઈએ તો 79% બાળકો કોરોના કાળમાં માનસિક રીતે પ્રભાવિત થયા ઘણા બાળકો એવા આવી છે જે કોરોના વાયરસથી ખૂબ જ રહેલા છે
આજે હું તમને કહેવા માગું છું કે બાળકો TV જેવા હોય છે જેમનું રીમોટ તેમના માતા-પિતાના હાથમાં હોય છે ટીવી એટલે કે બાળક માં તમે શું જોવા ઈચ્છો છો એ તમારા ઉપર નિર્ભર હોય છે જો તમે તમારા બાળકને સારા સંસ્કારો અને સારી શિક્ષા આપશો, ઓનલાઇન ભણતર ના ફાયદા અને નુકશાન તેને સમજાવો.બાળકોને થતી પરેશાનીની જો તમે સમજશો અને તેનું નિરાકરણ લાવશો તો તમે તમારા બાળકને આ કોરોના ના આ કપરા કાળમાં પણ સુરક્ષિત રાખી શકશો
આપણા દાદા દાદી હંમેશા કહેતા કે બાળકો તો ભગવાન ના રૂપ હોય છે એટલે જ જો બાળકો ખુશ હશે તો ભગવાન ભી ખુશ રહેશે, આપણે આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ
Image source: Google
Author: લવ યુ ગુજરાત ની ટીમ(LoveyouGujarat)
આવીજ આપણા બાળકો અને માતાપિતા ને જાણવા જેવી જરૂરી અહેવાલો વિષે જાણકારી તેમજ રસોઈ ની રેસિપી, સમાચાર, અવનવી વાતો ,તમારા સ્વાસ્થ્યને વાતો અને ટેક્નોલોજી થી અપડેટ રહેવા માટે હમણાં જ અમારા ફેસબૂક પેજ Love You Gujarat લાઈક કરીને અમારી સાથે જોડાઓ.
જો તમને આ લેખ સારો લાગે તો લાઈક – શેયર જરૂર કરજો